
મનોરંજન
હૂસેનાબાદ ચમન વાડી સાફ રેસકયૂ
હૂસેનાબાદ ચમન વાડી સાફ રેસકયૂ
*હુસેનાબાદ ચમનવાડી નવી સોસાયટીમાં બે ઝેરીલા નાગ ઝડપાતા ભયનો માહોલ, સરપંચની તાત્કાલિક કામગીરીથી લોકોને રાહત*
માંગરોળ: હુસેનાબાદ ગામની ચમનવાડી નવી સોસાયટી વિસ્તારમાં આવેલા એક પડતર કૂવામાંથી બે ઝેરીલા નાગ જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હસનભાઈ પીરજી તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
સરપંચશ્રીએ વિલંબ કર્યા વગર સાપ પકડવામાં નિષ્ણાત શ્રી પ્રવીણભાઈ ગોહેલ પરમાર (રહેવાસી: સરકારી હોસ્પિટલની બાજુમાં, માંગરોળ)નો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવ્યા હતા. પ્રવીણભાઈએ કુશળતાપૂર્વક બંને ઝેરીલા નાગને સુરક્ષિત રીતે પકડી પાંજરામાં પુર્યા બાદ તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દીધા હતા.
આ સમગ્ર કામગીરી બાદ સોસાયટીના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ઝેરીલા સાપના ભયને કારણે લોકોમાં સતત ગભરાટનો માહોલ હતો. તેમણે સરપંચ શ્રી હસનભાઈ પીરજીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સમયસર કાર્યવાહી કરાતા સંભવિત જાનહાનિ ટળી અને લોકો ફરી નિર્ભય બન્યા.
ગ્રામજનો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે આવા પડતર કૂવા અને ઝાડી-ઝાંખરા જેવી જોખમી જગ્યાઓની સમયસર સફાઈ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.
પત્રકાર હસન પીરજી
JUNAGADH
























