અમદાવાદ, ૦૭-૦૭-૨૦૨૬અષાઢી દૂજના પવિત્ર દિવસે અણમોલ ભક્તિ અને ઉત્સાહ સાથે નીકળનારી ૧૪૯મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા તે ફક્ત રથયાત્રા જ નથી તે મહા રથયાત્રા છે જેનું પ્રસારણ વિશ્વનાં ૧૩૨ દેશોમાં લાઈવ થાય છે જે જોનારા સાક્ષી છે, તેથી તેના આયોજન માટે આજે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ટ્રક એસોસિયેશનની એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રથયાત્રા દરમિયાન જોડાનારા ટ્રકોના રૂટ, સલામતી અને શિસ્તબદ્ધ સંચાલન અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.મીટિંગના મુખ્ય મુદ્દાઓ અને નિર્ણયો:ટ્રકોની સંખ્યા અને નોંધણી: આ વર્ષે રથયાત્રામાં જોડાનાર કુલ ટ્રકોની સંખ્યા ૧૦૧ જેમાં પોલીસ તરફથી એક ટ્રક પણ સામેલ છે. તમામ ટ્રકોનું એસોસિયેશન દ્વારા આગોતરૂ RTO ફિટનેસ સર્ટિફિકેટ સુભાષબ્રિજ અને જમાલપુર ખાતે કરવામાં આવશે. જે તારીખ ૧૨ જુલાઈ થી ૧૫ જુલાઈ ૨૦૨૬ નો સમયગાળો આપવામાં આવેલ છે, રજીસ્ટ્રેશન અને સ્ક્રુટીની (તપાસ) ફરજિયાત કરવામાં આવશે.શિસ્ત અને આચારસંહિતા: રથયાત્રા દરમિયાન ટ્રક ચાલકો અને તેમાં જોડાનારા શ્રદ્ધાળુઓ માટે કડક આચારસંહિતા લાગુ કરાશે. જેમાં ટ્રકની લંબાઈ જમીનથી ૧૬ ફૂટ સુધીનું જ ડેકોરેશન કરવા માટે ની ભલામણ કરવામાં આવી હતી. ભજન મંડળીઓ અને ઝાંખીઓ પ્રસ્તુત કરતી વખતે મર્યાદા અને ભક્તિભાવ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.ટ્રાફિક અને રૂટ મેનેજમેન્ટ: પોલીસ પ્રશાસન સાથે મળીને નક્કી કરેલા ચોક્કસ રૂટ અને ટાઈમ ટેબલ મુજબ જ ટ્રકો આગળ વધશે. રથયાત્રાના રૂટ પર ક્યાંય પણ ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનો વચ્ચે યોગ્ય અંતર જાળવવામાં આવશે.સલામતી અને સિક્યોરિટી: દરેક ટ્રકમાં પાંચ પોલીસ તેમજ એસોસિયેશનના ખાસ સ્વયંસેવકો (વોલેન્ટિયર્સ) તૈનાત રહેશે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે સીધું સંકલન (Coordination) રાખવામાં આવશે.પ્રસાદ વિતરણની વ્યવસ્થા: ટ્રકોમાંથી થતા પ્રસાદ વિતરણ (જેમ કે મગ, જાંબુ, ચોકલેટ વગેરે) દરમિયાન નાસભાગ ન થાય અને શ્રદ્ધાળુઓને ઈજા ન પહોંચે તે રીતે વ્યવસ્થિત વિતરણ કરવાની સૂચના આપવામાં આવી છે.ડ્રાઈવર્સ વેરિફિકેશન: દર વખતની જેમ આ વખતે પણ રથયાત્રામાં બે ડ્રાઇવરો હશે જેમાં એક પોલીસ ડ્રાઈવર હશે આમ આ રથયાત્રામાં જોડાનાર તમામ ટ્રક ડ્રાઈવરોના લાયસન્સ અને ઓળખપત્રોની તપાસ પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા હેઠળ પૂર્ણ કરવામાં આવશે. નશાબંધીના નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.ટેકનોલોજીનો ઉપયોગ: સુરક્ષા અને લોકેશન ટ્રેકિંગ માટે આ વર્ષે પણ ટ્રકો પર GPS સિસ્ટમ અને CCTV કેમેરા લગાવવા અંગે ભાર મૂકવામાં આવ્યો છે.મંદિર પ્રશાસન / ટ્રક એસોસિયેશનનું સત્તાવાર નિવેદન:"ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ, ભક્તિમય અને ભવ્ય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ટ્રક એસોસિયેશન કટિબદ્ધ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતા અને ભાઈચારા સાથે અમદાવાદની જનતા આ ઉત્સવને વધાવશે. સુરક્ષા અને શિસ્ત એ અમારી પ્રાથમિકતા રહેશે."વિશાલ લોઘા/પ્રમુખ, ટ્રક એસોસિયેશન / મંદિર ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા.