તિલકવાડા જીવ દયા માટે અનોખો અભિયાન | Akhand Bharat Dainik
તિલકવાડા જીવ દયા માટે અનોખો અભિયાન
NARMADA | By Akhand Bharat Team | Published:
હવામાન
તિલકવાડા જીવ દયા માટે અનોખો અભિયાન
તિલકવાડામાં જીવદયા માટે અનોખું અભિયાનનર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે વન વિભાગ અને GSPCA ટીમે મળીને અબોલ જીવો તથા પક્ષીઓની સેવા માટે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજ્યો. ઉનાળાની કઠિન ઋતુમાં પક્ષીઓ અને પ્રાણીઓને પાણીની તકલીફ ન પડે તે હેતુથી પ્રકૃતિપ્રેમી નાગરિકોને માટીના પાણીના કુંડા અને ચકલીઓ માટે માટીના માળા વિતરણ કરવામાં આવ્યા. આ અભિયાન અંતર્ગત તિલકવાડા તથા આસપાસના મંદિરો અને પ્રકૃતિપ્રેમી લોકોના ઘરો સુધી માટીના કુંડા અને ચકલી ઘરો પહોંચાડવામાં આવ્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં જીવદયા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ભારતીય સંસ્કૃતિમાં રહેલા પ્રાણીપ્રેમના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તથા સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું કે પ્રાણીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવી એ માનવતા સાથે સાથે એક પવિત્ર ફરજ છે. સ્થાનિક નાગરિકો અને પ્રકૃતિપ્રેમીઓએ આ કાર્યને ખૂબ વખાણ્યું અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજમાં પર્યાવરણ સંરક્ષણ, જીવદયા અને સંસ્કાર જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે.