*અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકામાં માનનીય મંત્રીશ્રી પી.સી.બરંડાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું*
અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકામાં આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી પી.સી.બરંડાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પુસ્તકાલય નવા તાલુકાના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પ્રસંગે મંત્રીશ્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી તાલુકો તાજેતરમાં જ અલગ તાલુકા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે અને રાજ્ય સરકાર આ નવા તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પુસ્તકાલય એ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ જ્ઞાનનું કેન્દ્ર છે. આજના યુગમાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુણવત્તાયુક્ત સંસાધનોની જરૂર છે. આ પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે શાંત વાતાવરણ, આધુનિક પુસ્તકો, સામયિકો, અખબારો તથા ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ખાસ લાભ મળે તે માટે આ પુસ્તકાલય મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ વાંચન કરવા અને જ્ઞાન મેળવવા પ્રેરણા આપી હતી.
પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની માર્ગદર્શિકાઓ, બાળસાહિત્ય, સામાન્ય જ્ઞાન તથા સ્થાનિક ઇતિહાસ અને સંસ્કૃતિ સંબંધિત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન સંસાધનોનો પણ લાભ લઈ શકે.
નિયમકશ્રીએ જણાવ્યું હતું કે આ પુસ્તકાલય તાલુકાના તમામ વર્ગના નાગરિકો માટે ખુલ્લું રહેશે અને નિયમિત રીતે નવા પુસ્તકો ઉમેરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ તમામ ઉપસ્થિતોને આભાર વ્યક્ત કર્યો અને શામળાજી તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું. આ ઉદ્ઘાટનથી તાલુકાના શિક્ષણ ક્ષેત્રે નવી ઊર્જા અને પ્રેરણા મળી છે.
કાર્યક્રમમાં ડૉ. પંકજ કે. ગોસ્વામી,નિયામક ગ્રંથાલય ગુજરાત રાજ્ય, ગાંધીનગર ,શ્રી સુભાષ જે. પટેલ ગ્રંથપાલ સરકારી જિલ્લા પુસ્તકાલય, મોડાસા, જિ.અરવલ્લી ,શ્રી એમ.ટી.નીસરતા,મદદનીશ ગ્રંથાલય નિયામક અમદાવાદ વિભાગ, અમદાવાદ..જિલ્લા સદસ્યો, તાલુકા પંચાયતના અધ્યક્ષ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ રિબન કાપીને પુસ્તકાલયનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ તેમણે પુસ્તકાલયની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
રિપોટર મયંક સોની
9898245145